ક્રૂડ ઓઇલના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો

અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી મંગળવારની ડેડલાઇનના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. આ તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની(Strait of Hormuz)ને ઈરાન માટે ફરીથી ખોલવા માટેની સમયમર્યાદાની સીધી અસરને પગલે મંગળવારે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં 3 ટકાથી વધુનો મોટો ઉછાળો નોંધાયો […]

Continue Reading

અમદાવાદ રિયલ્ટર એસોસિએશનના પ્રતિનિધિઓને નેશનલ સ્તરે મહત્વપૂર્ણ જવાબદારીઓ

અમદાવાદ રિયલ્ટર એસોસિએશનના પ્રતિનિધિઓને નેશનલ સ્તરે મહત્વપૂર્ણ જવાબદારીઓ મુંબઈ સ્થિત જીઓ કન્વેન્શન સેન્ટરમાં તાજેતરમાં નેશનલ એસોસિએશન ઓફ રિયલ્ટર્સ – ઇન્ડિયા (NAR India) નું ભવ્ય કન્વેન્શન યોજાયું હતું. આ પ્રસંગે વર્ષ 2026 માટે નવી નેશનલ કમિટીની રચના કરવામાં આવી હતી. ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ સંગઠન તરીકે કાર્યરત અમદાવાદ રિયલ્ટર એસોસિએશન (ARA) માટે ગૌરવની બાબત છે કે […]

Continue Reading

‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ

પર્યાવરણના રક્ષણ માટે વિશ્વભરમાં જાણીતા ‘ચિપકો આંદોલન’ સાથે છોટા ઉદેપુર જિલ્લાનો પણ એક અતૂટ ઇતિહાસ જોડાયેલો છે. 26મી માર્ચ 1974ના રોજ ઉત્તરાખંડમાં શરૂ થયેલા આ ઐતિહાસિક આંદોલનની લહેર છોટા ઉદેપુરના નાલેજ અને પીપલેજના જંગલો સુધી પહોંચી હતી. આ આંદોલનના ફળસ્વરૂપે જ આજે (26મી માર્ચ) આદિવાસીઓ માટે ‘કલ્પવૃક્ષ’ સમાન લાખો મહુડાના વૃક્ષો અડીખમ ઊભા છે. વર્ષ […]

Continue Reading

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો

અમદાવાદના શેલામા આવેલા સ્કાયસિટી બિલ્ડિંગમાં ગુરુવારે સવારે ૮ કલાકના પગલે સી બ્લોકના ત્રીજા માળ ઉપર આવેલા ફલેટ નંબર-૩૦૨માં આગ લાગી હતી.જેનો ધૂમાડો છેક પંદરમા માળ સુધી પહોંચતા રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઉપરના માળ ઉપર રહેતા ૫૦ લોકો જીવ બચાવવા ટેરેસ ઉપર જતા રહયા હતા.તમામને ફાયર વિભાગની ટીમ દ્વારા સીડી દ્વારા સુરક્ષિત નીચે ઉતારવામા આવ્યા […]

Continue Reading

ડિજિટલ યુગમાં ભવાઈના ભુંગળ શાંત પડયા

આજના ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં મનોરંજનના સાધનો આંગળીના ટેરવે ઉપલબ્ધ છે, પરંતુ એક સમય હતો જ્યારે ભવાઈ લોકશિક્ષણ અને મનોરંજનનું મુખ્ય માધ્યમ હતું. ગુજરાતની પરંપરાગત ગણાતી આ ભવાઈ કળા હાલ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. સુરેન્દ્રનગર સહિત ઝાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કેટલાક મંડળો આ વારસાને જીવંત રાખવા સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા […]

Continue Reading

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત

સુરેન્દ્રનગર –  રતનપરની રુદ્ર રેસીડેન્સીમાં રહેતા ૨૧ વર્ષીય યુવક કૃષ્ણપાલસિંહ અનિરુદ્ધસિંહ પરમાર પોતાના મિત્રો અને કાકા સાથે ચાર વાહનો લઈને નર્મદા જિલ્લાના રામપુરા ગામે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે ૨૧મી માર્ચે ઘરેથી નીકળ્યા હતા. પરિક્રમા દરમિયાન તેઓ અનસૂયા માતાના મંદિર પાસે આવેલા મનમંથેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા હતા અને નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. […]

Continue Reading

મિત્રના મોત કેસમાં સગીરને વાહન ચલાવવા આપનારા પિતા સામે ફરિયાદ

પીપળજ પિરાણા રોડ ઉપર ચાની કિટલી પાસે ૨૦ દિવસ પહેલા બસ ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક સગીરનું ટાયર નીચે કચડાતા મોત થયું હતું, જ્યારે વાહન ચલાવનાર સગીર ઘાયલ થયો હતો. અકસ્માતના આ બનાવમાં ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો  નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં એક્ટિવા સગીર ચલાવતો હતો જેથી પોલીસે સગીર પુત્ર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ના […]

Continue Reading

ટ્રસ્ટીએ ગ્રહપતિનું રાજીનામું લીધું,વિધાર્થીને સસ્પેન્ડ કરવાની ધમકી સાથે કૃત્ય આચરતાનો આક્ષેપ

ભાવનગર જિલ્લાની પાવનભૂમિ પાલીતાણાના તળેટી રોડ પર આવેલ સિધ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ગૃહપતિ છેલ્લા ત્રણ વર્ષથી માર મારતાં અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી અવાર નવાર માનસિક ત્રાસ આપતા હોવાની અરજી વાલી દ્વારા એસપીને આપવામાં આવી હતી. પાલીતાણાના તળેટી રોડ પર આવેલ સિધ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ગૃહપતિ હસમુખ શાહ છેલ્લા […]

Continue Reading

ગેરકાયદે શેડ અને પાર્કિંગ મામલે લોક ચર્ચાઓએ જોર પકડયું

નડિયાદના કોલેજ રોડ પર આવેલા શીતવંદન કોમ્પ્લેક્સમાં બિલ્ડર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગના વ્યવસાયિક ઉપયોગ મામલે નડિયાદ મહાનગરપાલિકાએ આખરી નોટિસ ફટકારી છે. જોકે, આ નોટિસ માત્ર દેખાડો હોવાનું અને આગામી સમયમાં સીલિંગની કામગીરી કર્યા બાદ બંધ બારણે સેટલમેન્ટ કરીને ગેરકાયદે પરવાનગી આપી દેવાની તંત્રની જૂની પદ્ધતિ અમલમાં આવશે તેવી લોકચર્ચાઓએ જોર પકડયું છે. […]

Continue Reading

નડિયાદ મનપામાં નવા કમિશનરની નિમણૂક ન થતા હાલ આ જગ્યા ખાલી

નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવતા જી.એચ.સોલંકીની રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. માત્ર એક વર્ર્ષ અને ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં તેમની બદલી થતા પાલિકા વર્તુળોમાં ચર્ચા જાગી છે, જોકે હાલમાં તેમના સ્થાને નવા કમિશનરની નિમણૂક બાકી રખાઈ છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, નડિયાદમાં […]

Continue Reading