ખાવાનું બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ચપ્પુથી ફેલાય છે બીમારી!!

ભારતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) સમય-સમય પર ફૂડ સેફ્ટી માટે પોતાની ગાઇડલાઇન જાહેર કરતી રહે છે. તાજેતરમાં જ FSSAI એ દેશના તમામ ફૂડ બિઝનેસ અને રેસ્ટોરન્ટ માલિકો માટે એક ખૂબ જ જરૂરી અને કડક આદેશ જાહેર કરતાં કહ્યું છે કે રસોઈ બનાવવા, કાપવા, પ્રોસેસિંગ અને પેકેજિંગ દરમિયાન ઉપયોગમાં લેવાતા ચપ્પુ અને બ્લેડ સંપૂર્ણપણે સાફ-સુથરા હોવા જોઈએ. માર્કેટમાં ઘણી જગ્યાએ નિયમોની અવગણના કરીને કાટવાળા, તૂટેલા, અથવા કલર ઉખડી ગયેલા ચપ્પુઓનો ઉપયોગ થઈ રહ્યો છે જે સીધી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા જેવું છે. આ નિયમનું પાલન ન કરનારા આઉટલેટ્સ પર કાયદાકીય કાર્યવાહી કરવાની કડક ચેતવણી આપવામાં આવી છે.

FSSAIએ પોતાના નવા આદેશમાં જણાવ્યું છે કે ઘણા ફૂડ બિઝનેસ હજુ પણ ખરાબ ક્વોલિટીના ચપ્પુ અને કટિંગ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, 2011ના શેડ્યૂલ 4 હેઠળ ખોરાકના સંપર્કમાં આવતા તમામ વાસણો અને ઉપકરણો ફૂડ-ગ્રેડ અને નોન-ટોક્સિક મટીરિયલથી બનેલા હોવા જોઈએ. આ ઉપરાંત આ ઉપકરણોને સમય-સમય પર સાફ અને સેનિટાઇઝ કરવા જરૂરી છે. નવી ગાઇડલાઇન મુજબ, તમામ ખરાબ, ચિપ લાગેલા કે કાટવાળા બ્લેડ્સને તાત્કાલિક કિચનમાંથી હટાવીને રિપ્લેસ કરવા પડશે.

FSSAIએ તમામ રાજ્યોના ફૂડ સેફ્ટી કમિશનર્સ અને ઇન્સ્પેક્ટર્સને આદેશ આપ્યો છે કે તેઓ ફિલ્ડ પર કડક નજર રાખે. જો કોઈ પણ રેસ્ટોરન્ટ, કેફે કે ફૂડ મેન્યુફેક્ચરર ખરાબ અને અસુરક્ષિત ચપ્પુનો ઉપયોગ કરતો જોવા મળશે, તો તેની સામે કડક એક્શન લેવામાં આવશે.

મહત્વનું છે કે કિચન ટૂલ્સમાં કાટ લાગવો એ માત્ર એક દેખાવડી ખામી નથી પરંતુ તે હેલ્થ માટે મોટો ખતરો ઉભો કરે છે. રિસર્ચગેટ પર પબ્લિશ સ્ટડીનું કહેવું છે કે કાટવાળા અને ગંદા ચપ્પુના ઉપયોગથી ખોરાકમાં બેક્ટેરિયા અને માઇક્રોબાયોલોજિકલ પ્રદૂષણનું જોખમ કેટલાય ગણું વધી જાય છે. જ્યારે કોઈ ધાતુ પર કાટ લાગે છે ત્યારે તેની સપાટી ખરબચડી અને છિદ્રાળુ થઈ જાય છે જ્યાં સાલ્મોનેલા અને ઈ-કોલાઈ જેવા ખતરનાક બેક્ટેરિયા સરળતાથી વધવા લાગે છે. નોર્મલ વોશિંગથી આ બારીક છિદ્રોમાં છુપાયેલા બેક્ટેરિયા સાફ થતા નથી જે બાદમાં ફૂડ પોઇઝનિંગનું કારણ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...