ગઢચિરોલીમાં સવારે એક ઝડપી ટ્રકે ૬ બાળકોને કચડી નાખ્યા; ચાર બાળકોનો અકાળે મૃત્યુ,

ગઢચિરોલી શહેરથી સાત કિલોમીટર દૂર કાટલી ગામ પાસે મોર્નિંગ વોક માટે નીકળેલા ૬ બાળકોને એક અજાણી ટ્રકે ટક્કર મારી. આ ભયાનક અકસ્માતમાં ચાર બાળકોના મોત થયા. બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના નામ ટિંકુ નામદેવ ભોયર (૧૪), તન્મય બાલાજી માનકર (૧૬), દુષણ દુર્યોધન મેશ્રામ (૧૪), […]

Continue Reading

૧૩ વર્ષની છોકરીની જુબાનીમાં તેના પિતાની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ,આરોપી પત્નીની ધરપકડ ,પ્રેમી અને સાથીદાર ફરાર

મુંબઈના ગોરેગાંવમાં રહેતી ૧૩ વર્ષની છોકરીની જુબાનીમાં તેના પિતાની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે તેના પિતાની હત્યા કરવાની યોજના કોઈ બીજાએ નહીં પણ તેની નજીકની માતાએ બનાવી હતી. છોકરીનું નિવેદન એવી લાગણી વ્યક્ત કરી રહ્યું છે કે તેના પિતાને ન્યાય મળ્યો છે. આ કેસમાં, આરે કોલોની પોલીસે 35 વર્ષીય […]

Continue Reading

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટીની કો ર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ૫ હેલ

2025 : મૂળભૂત શિક્ષણ સુધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલામાં મહાપાલિકા દ્વારા પ્રોજેક્ટ ઉત્થાન માટે અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટી સાથે કરાર પત્ર પર સહીસિક્કા કરવામાં આવ્યા છે. આ કરાર પત્ર ગઈકાલે મહાપાલિકા વડામથકે આયોજિત ખાસ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટીને મહાપાલિકા દ્વારા સોંપવામાં આવ્યા હતા. આ કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) પહેલ શહેરમાં 947થી વધુ મહાપાલિકાની શાળામાં 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે મૂળભૂત સાક્ષરતા અને અંકશાસ્ત્ર (એફએલએન) કૌશલ્ય બહેતર બનાવવા માટે તૈયાર કરાઈ છે, જે મુંબઈમાં વહેલા શિક્ષણની ગુણવત્તા મજબૂત બનાવવાની મુખ્ય કટિબદ્ધતા છે. આ અવસરે મહાપાલિકા કમિશનર અને પ્રશાસક શ્રી ભૂષણ ગગરાણી, પૂર્વીય પરાંના એડિશનલ કમિશનર ડો. અમિત સૈની, શિક્ષણ વિભાગના ડેપ્યુટી કમિશનર ડો. પ્રાચી જાંભેકર, અદાણી ઈલેક્ટ્રિસિટીના મેનેજિંગ ડાયરેક્ટર કંદર્પ પટેલ, અદાણી ઈલેક્ટ્રિસિટીના સીઈઓ રમેશ શર્મા અને અદાણી ઈલેક્ટ્રિસિટીના શણય શાહ, કૈલાશ શિંદે, અદાણી ફાઉન્ડેશનના જતિન ઉપાધ્યાય, સુબોધ સિંહ સહિતના અન્ય મહેમાનો હાજર હતા. 2021થી પ્રોજેક્ટ ઉત્થાન શિક્ષણ પર એકાગ્રતા સાથે મહાપાલિકા, અદાણી ફાઉન્ડેશન અને અદાણી ઈલેક્ટ્રિસિટી વચ્ચે જાહેર ખાનગી ભાગીદારી હેઠળ સફળતાથી ચલાવવામાં આવી રહ્યો છે. તેણે મલાડ, દહિસર, બોરીવરી, ચેમ્બુર અને કુર્લમાં 83 મહાપાલિકાની શાળાઓમાં મૂળભૂત શિક્ષણમાં પરિવર્તન લાવવામાં મોટી છલાંગ લગાવી છે, જેનાથી પ્રત્યક્ષ રીતે 25,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ થયો છે. આ પહેલે ભણતરનાં પરિણામો, વિદ્યાર્થી સહભાગ અને વધુ આનંદિત, સમાવેશક ક્લાસરૂમ નિર્માણ કરવામાં માપક્ષમ સુધારણા દર્શાવી છે. આ પહેલ કેન્દ્ર સરકારના નિપુણ ભારત મિશન સાથે સુમેળ સાધે છે અને રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 2020ના મુખ્ય સિદ્ધાંતો આલેખિત કરે છે. શૈક્ષણિક મેટ્રિક્સની પાર પ્રોજેક્ટ ઉત્થાનનું લક્ષ્ય મજબૂત મૂળભૂત શિક્ષણ વાતાવરણ નિર્માણ કરીને મુંબઈની જાહેર શૈક્ષણિક પ્રણાલીમાં સૈદ્ધાંતિક રીતે પરિવર્તન લાવવાનું છે. આ પહેલ વ્યૂહાત્મક રીતે નેશનલ અચિવમેન્ટ સર્વે (એનએએસ) 2027 28માં શહેરની કામગીરી સુધારણાના લક્ષ્ય સાથે સુમેળ સાધે છે, જે કોઈ પણ બાળખ મહત્ત્વપૂર્ણ સાક્ષરતા અને અંકશાસ્ત્ર કૌશલ્ય પ્રાપ્ત કરવામાં પાછળ […]

Continue Reading

મુખ્યમંત્રીને અભિનંદન આપતા હાર્દિકે હુડીયા એ પૂછ્યું કે હજારો કબૂતરોના મૃત્યુ માટે કોણ જવાબદાર છે?

કબૂતરો અને હાથણી ને લઈને મહારાષ્ટ્ર સરકારમાં રાજકારણ ખૂબ ગરમાયું છે. મુંબઈના જૈન અગ્રણી હાર્દિક હુંડિયાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને પત્ર લખીને દેશના તમામ જીવદયા પ્રેમીઓ વતી કબૂતરો પ્રત્યેની તેમની લાગણીઓને સલામ કરી છે. હાર્દિક હુંડિયાએ પત્રમાં એમ પણ લખ્યું છે કે દેશની આર્થિક રાજધાની ભારત માતાની પવિત્ર ભૂમિ મુંબઈમાં જ કબૂતરો સાથે ભેદભાવ કેમ? હાર્દિક હુંડિયાએ […]

Continue Reading

મામલતદાર અને તેમનો ડ્રાઈવર રૂપિયા 50 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મામલતદાર અને તેમના ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયા છે, ACBએ સેવા સદનના પાર્કિંગમાં લાંચનું છટકું ગોઠવ્યું, હતુ અને ખનીજ વહન કરતા ડમ્પર માલીક પાસે માંગી હતી લાંચ, ડમ્પર નહીં પકડવા માટે ગાડી દીઠ 10,000 માંગ્યા હતા અને 5 ડમ્પરના 50 હજારની લાંચ માંગી હતી, મામલતદાર જગદીશ ડાભી લાંચ લેતા ઝડપાયા છે. હકિકત એવી […]

Continue Reading

ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી

એક તરફ, ગુજરાત તમામ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ‘વાઈબ્રન્ટ ગુજરાત’નો દરજ્જો મેળવ્યો છે. ત્યારે બીજી તરફ આ જ વિકસીત ગુજરાતની દારુણ ગરીબીની પરિસ્થિતિનું અસલી ચિત્ર બહાર આવ્યુ છે. ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે. ખૂદ કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો છે કે, ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ […]

Continue Reading

બેન્કમાં નોકરીની લાલચ આપી નિકોલ લાવી દેહ વ્યાપારમાં ધકેલવા દબાણ

રાજકોટથી બે મહિલાઓને બેન્કમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી અને અમદાવાદના નિકાલમાં આવેલી હોટલમાં લાવવામાં આવી હતી, બે મહિલા અને એક સગીર સહિત સાત લાકોએ મહિલાને દેહ વ્યપારમાં ધકેલવા માટે પ્રયાસ કર્યો હતો. મહિલાએ સેક્સ વર્કરનું કામ કરવાનો ઇન્કાર કરતાં એક મહિલાના દિકરાને મારી નાંખવાની ધમકી આપીને બન્ને મહિલાને હોટલના રૃમમાં ગોંધી રાખી હતી. આ […]

Continue Reading

શ્રાવણ માસ ચાલે છે કેમ ઇંડાની લારી બંધ કરતા નથી કહી નારોલમાં લારી ઉંધી કરીને તોડફોડ કરી

નારોલમાં ભમ્મરીયા કેનાલ પાસે ગઇકાલે મોડી રાતે ચાર શખ્સોએ આવ્યા હતા અને શ્રાવણ માસ ચાલે છે તેમ ઇંડાની લારી બંધ કરતા નથી તેમ કહીને તકરાર કરીને લારી ઉંધી કરીને ચાકુ બતાવીને ખુરસીઓ તથા ટેબલની તોડફોડ કરીને પાંચ જણાને માર મારીને આતંક મચાવ્યો હતો. એક યુવકને માથામાં પથ્થર વાગતા ગંભીર હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. […]

Continue Reading

સરકારી કચેરીમાં અંગ્રેજીના ચલણ વચ્ચે સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી

ગુજરાતમાં ગત એસએસસીની પરીક્ષામાં 7,62,485 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તેમાં આશરે 48 ટકા એટલે કે 3,67,666 એ સંસ્કૃત વિષય રાખ્યો હતો, આમ, 52 ટકા વિદ્યાર્થીઓ તો ધો. 10માં સંસ્કૃત વિષય રાખતા નથી તો બીજી તરફ ખુદ શાસકો રાજ કરે છે તે જિલ્લા પંચાયત,મહાપાલિકા જેવી કચેરીઓમાં સંસ્કૃત કે તેના સંતાન જેવી ગુજરાતી ભાષાને બદલે અંગ્રેજી […]

Continue Reading

કરમસદ આણંદ મનપા કચેરી બહાર 150થી વધુ લારી-પાથરણાંવાળાઓના ધરણાં- પ્રદર્શન

આણંદ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારની ટૂંકી ગલીમાં મનપા દ્વારા લારી- પાથરણાવાળાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે વેન્ડર ઝોન, રોજગારી અથવા જગ્યા ફાળવવાની માંગણી લારી- પાથરણાંવાળા કરી રહ્યા છે. મંગળવારે ૧૫૦થી વધુ વેન્ડર્સો (લારી- પાથરણાવાળા)નું ટોળું મનપા કચેરીએ ધસી આવ્યું હતું. કચેરીનો મુખ્ય દરવાજો બંધ કરી દેવાતા લારી- પાથરણાંવાળાઓએ કચેરી મનપા કચેરી બહાર જ […]

Continue Reading