હર્ષદ પરમારે કહ્યું, આ વિસ્તારના પ્રશ્નોનો નિકાલ કરવા પ્રયાસો કરીશ

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની બેઠક ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન થયા બાદ ખાલી પડી હતી. આ બેઠક પર આજે સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન શરૂ થયું છે.

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની બેઠક ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન થયા બાદ ખાલી પડી હતી. આ બેઠક પર આજે સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન શરૂ થયું છે.2.45 લાખ મતદારો મતદાન કરશે.306 મતદાન મથકો પર યોજાશે ચૂંટણી,મતદાન મથકો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સવારથી જ લોકો મત આપવા માટે લાઈનોમાં ઉભા રહ્યાં છે. ત્યારે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મતદાન કર્યું હતું.

ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે સવારે તેમના સ્વર્ગસ્થ પિતા અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દર્શન કર્યા હતાં. ત્યાર બાદ ભગવાનના દર્શન કરીને મત આપવા માટે પહોંચ્યા હતાં. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે, મેં મારા પિતાની પરંપરા જાળવી છે. મારા પિતાની જેમ જ મેં સવારે પૂજા અર્ચના કરી છે. ઉમરેઠ બેઠક પર જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરીશ. અહીં GIDC તૈયાર છે પણ ઉદ્યોગ નથી આવ્યા. આ વખતે પણ લોકો મત આપવામાં ભુલ નહિ કરે.

ઉમરેઠના ચીખોદરમાં પણ સવારથી જ લોકો મત આપવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે. ચિખોદરમાં એનસીપીના જયંત બોસ્કીએ મતદાન કર્યું હતું. તેમણે લોકોને મત આપવા માટે અપીલ કરી હતી. ચૂંટણીના ઓબ્ઝર્વર દ્વારા મતદાન મથકો પર સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે વિવિધ બુથોની મુલાકાત લીધી હતી.મતદારોની લાઈનોને લઈને સૂચનો આપ્યા હતાં. સીસીટીવીમાં આવે તે રીતે મતદારોની લાઈનો માટે સૂચના આપી હતી.

અહી આપેલી તસ્વીર ને મતદાન સાથે કોઈ લેવા દેવા નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *