બરોડાના શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે લંગર અને સુવિધા કરાય છે

બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથની મુશ્કેલ યાત્રા કરનારા યાત્રાળુઓને કોઈ અસુવિધા ન થાય તે માટે, ગુજરાતના વડોદરામાં સ્થિત મા શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી અમરનાથ યાત્રાના મહત્વપૂર્ણ સ્થળો જેમ કે ચંદનવાડી, બાલતાલ અને બબલટોપ પર સતત લંગર સેવા ચલાવી રહ્યું છે. ચંદનવાડીમાં, ગુજરાતી યાત્રાળુઓને કેસર દૂધ અને ભોજન તેમજ ચા અને નાસ્તોની સેવા […]

Continue Reading

રાજસ્થાનમાં સરકારી શાળાની છત ધસી પડતા ચાર બાળકોના…

રાજસ્થાનમાં આજે એક સરકારી શાળાની ઈમારત ઓચિંતી તૂટી પડતા ઓછામાં ઓછા ચાર બાળકોના મૃત્યુ થયા છે અને શિક્ષકો સહિત અનેક ઘાયલ થયેલ છે. આ દુર્ઘટના રાજયના ઝાલાવાડ જિલ્લાના મનોહરથાના વિસ્તારની પીપલોદી પ્રાથમિક શાળામાં બની હતી. જેમાં એક શાળા ખંડમાં 25થી વધુ વિદ્યાર્થીઓ મૌજુદ હતા અને પ્રાર્થના ચાલી રહી છે કે અચાનક જ શાળાની છત ધડાંગ […]

Continue Reading

એક મહિનામાં બીજી વખત RCB ના ક્રિકેટર યશ દયાલ પર બળાત્કારનો કેસ, બીજી યુવતીએ FIR નોંધાવી

રાજસ્થાનના જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ક્રિકેટર વિરૂધ્ધ બળાત્કારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. આ પહેલા 8 જુલાઈના રોજ ગાઝિયાબાદમાં પણ એક યુવતીએ યશ દયાલ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ફાસ્ટ બોલર યશ દયાલ વિરૂધ્ધ બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) […]

Continue Reading

ગંભીરા પુલ તૂટી પડયા બાદ સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની સંપત્તિની તપાસ ACB કરશે

મુજપુર-ગંભીરા પુલ તૂટી પડવા પાછળ બેદરકારી દાખવનારા પાંચ અધિકારીઓની મિલકતોની તપાસ કરવામાં આવશે. અહેવાલો અનુસાર, ગાંધીનગર સ્થિત ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB ) એ વડોદરા ACB  શાખાને આ તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો છે. જો અધિકારીઓની જાણીતી આવક કરતાં વધુ સંપત્તિ મળી આવશે, તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે. વડોદરા એસીબીના એક વરિષ્ઠ અધિકારીએ ગાંધીનગરથી આદેશ […]

Continue Reading

નશામુકત ગુજરાતનો નવો અધ્યાય : રૂા.870 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો..

નશાબંધીનો કાયદો ધરાવતાં ગુજરાતમાં દારૂ-માદક પદાર્થો સામે રાજય સરકારની આકરી નીતીનો કડકાઈથી અમલ કરાવવામાં આવી રહ્યો છે. અને તેને પગલે છેલ્લા ચારેક વર્ષમાં કરોડો-અબજોના નશાનાં કારોબારનો પર્દાફાશ થયો છે. અબજોનું ડ્રગ્સ જપ્ત કરાયું છે હવે આ ડ્રગ્સનો નાશ કરીને નશામુકત ગુજરાતનો નવો ઐતિહાસીક અધ્યાય આલેખવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી છેલ્લા થોડા સમયમાં પકડાયેલા 870 કરોડની કિંમતનાં […]

Continue Reading

કમળાનો ભરડો : 21 કેસ મળતા તંત્રની દોડધામ…

પેટલાદના ચાંગા ગામમાં કમળાના ૨૧ કેસ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ૭,૨૭૮ની વસતી ધરાવતા ચાંગા ગામમાં વ્હોરવાડ, માતરિયું ફળિયું, જનતા કોલોની સહિતના વિસ્તારમાં ૧,૨૨૮ લોકો અસરગ્રસ્ત વિસ્તારમાં છે. ત્યારે તંત્રની ૯ ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે. ક્લોરિન ટેબલેટ અને ઓઆરએસનું વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે પાણીની પાઈપ લાઈનમાંથી મળેલા ૧૧ પૈકી હજૂ ૪ […]

Continue Reading

ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો…

અહીં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુવકનું અન્ય મહિલા સાથેની અગાઉ થયેલી વાતનું રેકોર્ડિંગ વાયરલ કરવા મુદે મહિલાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા પતિ-પત્ની અને તેના મિત્રે ઠપકો આપનારના ઘરે જઇ હુમલો કરી પરિવારજનોને માર મારતા આ પરિવારના એક યુવાને ડરી જઇ ઝેરી પાઉડર ગટગટાવી લીધો હતો. આ ભાદરનાં સામાકાઠે આવેલા નરસંગ ટેકરી વિસ્તારમા રહેતા જગદીશભાઈ પુંજાભાઈ પારઘી […]

Continue Reading

બે જિલ્લામાં વીજળી પડી, 13 લોકોએ ગુમાવ્યો જીવ…

પશ્ચિમ બંગાળના બાંકુરા અને પૂર્વ બર્દવાન જિલ્લામાં ગુરુવારે (24 જુલાઈ) વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા. બાંકુરા પોલીસ અધિક્ષક વૈભવ તિવારીએ જણાવ્યું કે, વાવાઝોડા દરમિયાન વિવિધ ભાગોમાં વીજળી પડવાથી કેટલાક લોકો મોત થયા છે. ઓંડામાં ચાર લોકો જ્યારે કોતુલપુર, જોયપુર, પત્રાસૈર અને ઈન્દાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. […]

Continue Reading

ઘરડાં માતા-પિતાની સારસંભાળ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 30 દિવસ રજા લઈ શકે

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભામાં કેન્દ્રીય કાર્મિક રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘરડા માતા-પિતાની દેખરેખ સહિત પર્સનલ રિઝનને કારણે 30 દિવસ સુધીની રજા લઇ શકે છે. જ્યારે રાજ્યસભામાં સવાલ કરાયો હતો કે ઘરડા માતા-પિતાની દેખરેખ માટે સરકારી કર્મચારીઓની રજાઓ અંગે કોઈ જોગવાઈ છે કે નહીં? […]

Continue Reading

2024માં કેટલાં ભારતીયોએ નાગરિકતા છોડી ??

રાજ્યસભામાં વિદેશ મંત્રાલય પાસેથી ભારતીય નાગરિકતા છોડનારા લોકોના આંકડા માંગવામાં આવ્યા હતા. જેના જવાબમાં વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે, ‘2024માં 2 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે. જોકે, આ આંકડો વર્ષ 2023ની સરખામણીમાં થોડો જ ઓછો છે. રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં ભારતીય નાગરિકતા છોડવાને લઈને એક પ્રશ્નના જવાબમાં આ ડેટા રજૂ કર્યો […]

Continue Reading