કેન્દ્રીય રેલવે મઁત્રી અશ્વિની વૈષ્ણવે આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપનની સમીક્ષા કરી, મુસાફરો સાથે સીધો વાર્તાલાપ કર્યો

Latest News આરોગ્ય કાયદો દેશ

કેન્દ્રીય રેલ્વે, માહિતી અને પ્રસારણ, અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે આનંદ વિહાર રેલ્વે સ્ટેશનનું ઓચિંતું નિરીક્ષણ કર્યું.
અશ્વિની વૈષ્ણવે સ્ટેશન પર હોલ્ડિંગ એરિયાનું નિરીક્ષણ કર્યું અને મુસાફરો સાથે સીધો વાર્તાલાપ કર્યો, રેલ્વે પરિસરની સ્વચ્છતા અને પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અંગે પ્રતિસાદ માંગ્યો.
કેન્દ્રીય રેલવે મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે મુસાફરોના ભારે ધસારો છતાં મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે રેલ્વેએ વ્યાપક વ્યવસ્થા કરી છે. મુસાફરોની સુવિધા અને સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે. તેમણે માહિતી આપી કે સોશિયલ મીડિયા પર રેલ્વે વિશે ભ્રામક વિડિઓ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે દરેકને રેલ્વે વિશે ભ્રામક વિડિઓ ફેલાવવાનું ટાળવા પણ અપીલ કરી.
નિરીક્ષણ દરમિયાન રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ શ્રી સતીશ કુમાર અને ઉત્તર રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર વર્મા સહિત અનેક વરિષ્ઠ રેલવે અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
નિરીક્ષણ બાદ અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભીડ વ્યવસ્થાપન અને મુસાફરોની સુવિધાઓ માટેની આ વ્યાપક વ્યવસ્થા દિવાળી અને છઠ જેવા આગામી મુખ્ય તહેવારો દરમિયાન લાખો મુસાફરો માટે સરળ અને સલામત મુસાફરી સુનિશ્ચિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *