6 મહિનામાં જ USના વિઝા અપાવી દઈશ..! તેમ કહી 26.80 લાખનો ચૂનો ચોપડયો

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા દંપતી અને તેમની પુત્રીને વિદેશ મોકલવાના નામે એક એજન્ટે 26.80 લાખ પડાવી લીધા હોવાનો બનાવ બનતા પોલીસ ફરિયાદ થઈ છે. ગોરવા ગામમાં રહેતા દિલીપભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે, છાણી જકાતનાકામાં અવધપુરી સોસાયટીમાં રહેતા કનુભાઈ બાબુભાઈ પટેલ સાથે મારે પરિચય થયો હતો. તેમણે મને વિઝાનું કામ કરતા હોવાનું કહ્યું હતું. જેથી […]

Continue Reading

ચીન અને પાકિસ્તાનના સંબંધોમાં તિરાડ! કરોડો ડોલરના પ્રોજેક્ટમાંથી ડ્રેગને હાથ પાછા ખેંચ્યા

ચીન પાકિસ્તાનનો સૌથી સારો મિત્ર છે. હાલમાં બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય દેખાતા નથી. જેનું કારણ એ છે કે પાકિસ્તાને તેના જૂના રેલવે નેટવર્કને આગળ વધારવા માટે ચીનને બદલે એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) પાસેથી મદદ લેવાનું નક્કી કર્યું છે. પાકિસ્તાને કરાચી-રોહરી રેલવે સેક્શનને સુધારવા માટે ADB પાસેથી 2 અબજ ડોલરની લોન માંગી છે. આ એ […]

Continue Reading

માધુપુરા સટ્ટાકાંડ: હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ, રૂ.2200 કરોડના સટ્ટા કેસમાં થઈ શકે છે નવા ખુલાસા

ગુજરાતના સૌથી મોટા 2200 કરોડથી વધુનો ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મોટી સફળતા મળી છે. એસએમસીની ટીમે આ સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી પકડી પાડ્યો છે. એસએમસી દ્વારા હર્ષિત જૈન સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, ત્યાર બાદ દુબઈ પોલીસ હર્ષિતને લોકેટ કરી લીધો અને સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન સાધી તેને ડિપોર્ટ કરવામાં […]

Continue Reading

ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

 ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) દક્ષિણ રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ […]

Continue Reading

1900 ગામ ડૂબ્યાં, 43ના મોત: પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા

 પંજાબ હાલ કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે પૂર આવતાં 43થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1.71 લાખ હેક્ટરમાં ફેલાયેલો પાક બરબાદ થયો છે. 23 જિલ્લાના 1902 ગામ  પાણીમાં ગરકાવ થયા છે. લગભગ 3,84,205 લોકો અસરગ્રસ્ત થયા છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં અત્યારસુધી 20,972 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. પંજાબના  […]

Continue Reading

ગુજરાતીઓને દિવાળીની ભેટ? રાજ્યની સૌથી પહેલી અમૃત ભારત નોન એસી ટ્રેન અમદાવાદથી થશે શરૂ

ભારતીય રેલવેએ નોન એસી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન શરૂ કર્યું છે. અત્યારે એક અમૃત ભારત એક્સપ્રેસ અમદાવાદ આવી પણ ગઈ છે. મળતી માહિતી મુજબ, હાલ આ ટ્રેનની ટ્રાયલ ચાલી રહી છે. જેમાં ઝડપી, લોડ ટેસ્ટ સાથે ટ્રેનમાં પહેલીવાર લગાવવામાં આવેલી ઈપી બ્રેક સિસ્ટમની ટ્રાયલ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિવાળી સુધીમાં અમદાવાદથી […]

Continue Reading

ભાદરવી પૂનમના મહામેળામાં આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો અનોખો સંગમ, ભક્તો અભિભૂત

શક્તિપીઠ અંબાજીમાં જગ વિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે ઊજવાઈ રહ્યો છે. જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કઠિન પગપાળા યાત્રા કરી મા અંબાના ધામમાં ઉમટી રહ્યા છે. જ્યા મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિરના ચારચચોકમાં હૈયે હૈયું દળાય તેટલા માઈભક્તો ઉમટી પડતાં સમગ્ર વાતાવરણ બોલ માડી અંબે, જય જય અંબેના નારાથી ગૂંજી ઉઠતાં ભક્તિનો […]

Continue Reading

યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, યુદ્ધ સમાધાનનો માર્ગ નહીંઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ

યુનાટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ સંદર્ભે મહત્ત્વનું નિવેદન આપ્યું છે કે, યુક્રેનમાં નિર્દોષોની હત્યા તદ્દન અસ્વીકાર્ય છે. યુએનમાં ભારતના  કાયમી પ્રતિનિધિ પર્વથનેની હરીશે કહ્યું કે, ભારત યુક્રેનની સ્થિતિ મુદ્દે સતત ચિંતિત છે. અમે માનીએ છીએ કે, નિર્દોષ લોકોની હત્યા સ્વીકાર્ય નથી. કોઈપણ પ્રકારનું સમાધાન યુદ્ધના માર્ગે આવશે નહીં. આથી યુક્રેન યુદ્ધનો અંત તમામ માટે હિતકારક […]

Continue Reading

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, નર્મદા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા

 અમરકંટકથી નીકળતી મા નર્મદા કે જેને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ભરૂચ ખાતે દરિયામાં મળે છે. અમરકંટકથી ગુજરાત સુધી મા નર્મદા નદી પર મહત્ત્વના 4 ડેમ બનવવામાં આવ્યા છે. જેમાં મધ્યપ્રદેશમાં બરગી, ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર, જ્યારે ગુજરાતમાં સરદાર સરોવર કે જે સૌથી મોટો ડેમ નર્મદા નદી પર બનાવવામાં આવ્યો છે. ત્યારે શુક્રવારે […]

Continue Reading

‘પાકિસ્તાનથી 400 કિલો RDX સાથે 14 આંતકવાદી ઘૂસ્યા’, ગણેશ વિસર્જન પર મુંબઈમાં મોટા હુમલાની ધમકી

મુંબઈને ફરી એકવાર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. આ વખતે સ્યુસાઇડ બોમ્બિંગ એટલે કે, હ્યુમન બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ભરેલો મેસેજ મુંબઈની ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર મોકલવામાં આવી છે. અનંત ચતુર્દશીના દિવસે આ ધમકી મળતા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, 34 ગાડીઓમાં […]

Continue Reading