રીબડા ફાયરિંગ કેસઃ પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ, ભાડૂતીઓને હથિયાર પૂરા પાડ્યાનો આરોપ

 રાજકોટના રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગના કેસમાં પોલીસે અન્ય એક આરોપીની ધરપકડ કરી છે.  ગોંડલ તાલુકા પોલીસે પુનિતનગર વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે કાળુ હાસમ સૈયદ અને નામચીન પરિક્ષીત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો બળધાની ધરપકડ કરી છે. આ સાથે જ આ કેસમાં ધરપકડનો આંક 9 પર પહોંચ્યો છે. ફાયરિંગ કરનાર ભાડૂતી આરોપીઓને હથિયાર […]

Continue Reading

પ્રયાગરાજ વિરુદ્ધ ગોવા: HIFAA ના ગ્રાન્ડ મેડિકલ કોન્ક્લેવથી ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા

ગોવા 30-31 ઓગસ્ટ, 2025 ના રોજ HIFAA (હેલ્થકેર આઇકોનિક ફેશન એન્ડ એવોર્ડ્સ) ની બીજી આવૃત્તિનું આયોજન કરવા માટે તૈયાર છે, અને તેનો ક્રેઝ અદ્ભુત છે. 500+ ડોકટરો, 20+ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને 200+ હોસ્પિટલ અને વ્યવસાય માલિકો હાજરી આપે તેવી અપેક્ષા સાથે, આ મેગા ઇવેન્ટ ભારત અને વિશ્વભરના આરોગ્યસંભાળ નેતાઓને આકર્ષી રહી છે. પરંતુ હાલમાં જે […]

Continue Reading

ભારતનો સત્તાવાર શહેરી નક્શો બદલાશે! વસતી ગણતરી અંગે કેન્દ્રના નવા સર્ક્યુલરથી અટકળ

 આગામી વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકારે નવું પરિપત્ર જાહેર કર્યું છે, જેમાં શહેરી સમૂહને અપડેટ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. 2027ની વસ્તી ગણતરીમાં ભારતનો સત્તાવાર શહેરી નકશો બદલાવાનો છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરની કચેરીએ આગામી વસ્તી ગણતરી 2027 માટે શહેરી સમૂહોની રચનાને અપડેટ કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રોફોર્માનો એક […]

Continue Reading

તાઇવાનની જળ-સીમામાં 41 ચીની વિમાનો, 7 યુદ્ધ જહાજો ફરી ઘૂસ્યાં : જિનપિંગ કશું જબરૂં કરવાની તૈયારીમાં

તાઇવાન અંગે શી જિનપિંગની યોજના શી છે ? વિશ્વભરમાં તેની ચર્ચા થઈ રહી છે. કારણ સ્પષ્ટ છે વારંવાર ચીની વિમાનો તાઇવાનની જળસીમામાં ઘૂસેછે તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું, આજે (ગુરૂવારે) સવારે કહ્યું હતું કે, ‘સવારના પ્રમાણે અમે અમારા જળ ક્ષેત્ર આસપાસ ૪૧ યુદ્ધ વિમાનો અને ૭ યુદ્ધ જહાજો તાઇવાન ફરતે ચક્કર કાપી રહ્યા છે તે ૪૧ […]

Continue Reading

વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચી ગયા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને 28 ઓગસ્ટે જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થયા હતા. જાપાન માટે રવાના થતા પહેલા, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રવાસ ભારતના હિતોને આગળ વધારવામાં મદદ કરશે. તે પ્રાદેશિક, વૈશ્વિક શાંતિ અને […]

Continue Reading

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રુપિયા ત્રણ લાખનો પગાર મેળવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને શહેરના વિવિધ રોડ ઉપર રખડતા કૂતરાં પકડી તેનું ખસીકરણ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત આસીસ્ટન્ટ મેનેજર સહીત કુલ ૧૧ લોકોની કમ્પલેઈન રીડ્રેસલ સેલ કમિટી બનાવાશે,જે રખડતા કૂતરાં કરડવાના બનાવોવાળા સ્થળોનુ વોર્ડ વાઈસ લિસ્ટ બનાવી ડોગ બાઈટના કેસ અટકાવવાની કામગીરી કરાવશે.શહેરની ૭૦ લાખની વસ્તી […]

Continue Reading

કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો પણ હવે ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો પરિવારને મળશે 14 લાખની સહાય

ચાલુ નોકરીએ મૃત્યુના કેસમાં પરિવારને નાણાકીય સહાય આપવાના રાજ્ય સરકારના 2011ના ઠરાવનો અમલ વર્ગ 3 અને 4 સહિતના કાયમથી માંડી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મળતો હતો. પરંતુ કોર્પોરેશનની સ્કૂલોના શિક્ષકોને લાભઆપવામા આવતો ન હતો. જેને લઈને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘથી માંડી અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનેકવાર સરકારને રજૂઆતો કરાઈ હતી અને […]

Continue Reading

મરાઠાઓને ઓબીસીમાંથી અનામત નહીં: મુખ્યમંત્રીનો સ્પષ્ટ સંકેત

અન્ય પછાત વર્ગો (ઓબીસી)ની યાદીમાં ૩૫૦ થી વધુ જાતિઓનો સમાવેશ પહેલાથી જ છે. મરાઠા સમુદાયને અલગથી ૧૦ ટકા અનામત આપવામાં આવી છે. આવા સમયે, મરાઠા સમુદાયને ઓબીસી ક્વોટામાંથી અનામત આપવામાં આવશે નહીં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મનોજ જરંગેએ શરૂ કરેલ વિરોધ પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં સ્પષ્ટ સંકેત આપ્યો હતો. મરાઠા સમુદાયના નેતા મનોજ જરંગેએ ઓબીસીમાંથી અનામત અને […]

Continue Reading

દોઢ દિવસ માટે ગણેશ મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવોમાં, ઘણી જગ્યાએ વિવાદ અને ઝઘડા

ગુરુવારે દોઢ દિવસ માટે ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોર્ટના આદેશ મુજબ, આ વર્ષે છ ફૂટ સુધીની POP મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં અને કુદરતી જળાશયોમાં તેના કરતા ઊંચી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દોઢ દિવસના વિસર્જન દરમિયાન તેનું રંગીન રિહર્સલ યોજાયું હતું. જોકે, ઘણી જગ્યાએ મૂંઝવણ હતી. દોઢ દિવસનું ગણપતિ વિસર્જન વિવાદ, ઝઘડા વચ્ચે યોજાયું […]

Continue Reading

વિરારમા બુધવારે ધરાશાયી થયેલ બિલ્ડીંગના કેસમા ૧૭ લોકોના મોત, બિલ્ડર વિરુધ્ધ ગુનો દાખલ

વિરારમાં બુધવારે બિલ્ડિંગ ધરાશાયી થયેલ ઘટનામાં ૧૭ લોકોના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. દુર્ઘટનાના પગલે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે ઇમારતના બિલ્ડરની વિરુધ્ધમા ગુનો દાખલ કરેલ છે. આ ઘટનાએ ગેરકાયદે બાંધકામોની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ૨૭ ઓગસ્ટના રોજ રાત્રે ૧૧.૩૦ […]

Continue Reading