મહારાષ્ટ્ર પહેલીવાર એક ઐતિહાસિક આધ્યાત્મિક ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યું છે, કારણ કે આવતા રવિવાર, 23 નવેમ્બરે, કુલ 57 મુમુક્ષુઓ ભવ્ય સામૂહિક દીક્ષાનું મુહૂર્ત ગ્રહણ કરશે। આ અનોખો કાર્યક્રમ જૈન આચાર્ય સોમસુંદરસૂરિજી, શ્રેયંસપ્રભસૂરિજી અને યોગતિલકસૂરિજીના પવિત્ર સન્મુખે યોજાશે।
દીક્ષા લેતા આ મુમુક્ષુઓમાં 18 પુરુષો અને 39 મહિલાઓનો સમાવેશ થાય છે, જે ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, રાજસ્થાન અને તમિલનાડુ જેવા પાંચ રાજ્યોમાંથી અને અમેરીકા જેવા વિદેશ માંથી પણ આવે છે। બધા મુમુક્ષુઓ આચાર્ય યોગતિલકસૂરિજીના પ્રવચનો અને આધ્યાત્મિક માર્ગદર્શનથી પ્રેરિત છે।
14,000 ચોરસફૂટનું વિશાળ પંડાલ; 3,000 કરતાં વધુ શ્રદ્ધાળુઓની હાજરીની શક્યતા
આ વિશાળ અને અનુપમ દીક્ષા કાર્યક્રમ માટે મુંબઈના હ્યુઝ રોડ સ્થિત પંચશીલ પ્લાઝા ખાતે 14,000 ચોરસફૂટનું વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યું છે। આયોજકોના જણાવ્યા મુજબ, કાર્યક્રમમાં 3,000થી વધુ લોકો ઉપસ્થિત રહેશે એવી આશા છે।
આ સમગ્ર કાર્યક્રમનો લાભાર્થી (સ્પોન્સરશિપ) પ્રખ્યાત પરોપકારી શ્રીમાન બાબુલાલજી મિશ્રીમલજી ભંસાલી દ્વારા લેવામાં આવી છે।
દીક્ષા લેવાવાળા મુમુક્ષુઓમાં સૌથી નાની 7 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે, જ્યારે સૌથી વયસ્ક મુમુક્ષુ 70 વર્ષના છે। આ ઉપરાંત, 15 કરતાં વધુ ગ્રેજ્યુએટ અને ઉચ્ચશિક્ષિત યુવાનોએ પણ સંસાર ત્યાગવાનો નિર્ધાર કર્યો છે।
જૈન સમાજમાં આચાર્ય યોગતિલકસૂરિજીનું સ્થાન અત્યંત વિશિષ્ટ છે। તેઓ છેલ્લા 10 વર્ષમાં 350થી વધુ દીક્ષા આપનાર એકમાત્ર જૈન આચાર્ય છે। હાલમાં તેમના 100થી વધુ શિષ્યો છે, જે જૈન ધર્મમાં એક અનોખી સિદ્ધિ ગણાય છે।
પાંચ રાજ્યોના અને અમેરીકા મુમુક્ષુઓ, હજારો શ્રદ્ધાળુઓ તથા પ્રતિષ્ઠિત જૈન આચાર્યોની ઉપસ્થિતિમાં યોજાનાર આ સામૂહિક દીક્ષા જૈન સમાજ માટે ગૌરવ, ભક્તિ અને આધ્યાત્મિક ઉજાસથી ભરપૂર એક વિશેષ ક્ષણ બનશે।
23 નવેમ્બરનો આ દિવસ આધુનિક યુગમાં પણ ત્યાગ, સંયમ અને મોક્ષમાર્ગ તરફની યાત્રાનું પ્રતીક બની ઇતિહાસમાં સ્થાન મેળવશે- જ્યારે 57 મુમુક્ષુઓ એકસાથે દીક્ષાનું મુહૂર્ત ગ્રહણ કરશે।

Had a bit of trouble with the 555winlogin the first time, but support was quick to sort it out. Once you’re in, it’s smooth sailin’. Just a heads up! Access it here: 555winlogin