તજ એક એવો મસાલો છે જેનો ઉપયોગ વિશ્વભરમાં ખોરાકનો સ્વાદ વધારવા માટે થાય છે. તેનો ઉપયોગ ખોરાકમાં અને બેકિંગમાં પણ મસાલા તરીકે થાય છે. આ ઉપરાંત કેટલાક ખોરાકમાં પણ ઉમેરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તજનો ઉપયોગ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હજારો વર્ષોથી પરંપરાગત દવાઓમાં કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે તજ ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છે.
તજમાં રહેલા સૌથી મહત્ત્વપૂર્ણ સક્રિય ઘટકોમાંનું એક સિનામાલ્ડીહાઇડ છે. તેનો ઉપયોગ સ્વાદ અને સુગંધ માટે કરવામાં આવે છે. આ તજના કેટલાક સ્વાસ્થ્ય લાભોનું પણ એક કારણ છે. તજમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિબાયોટિક્સ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. અહીં અમે તમને તજના ફાયદા જણાવી રહ્યા છીએ. જો કે, ડૉક્ટરની સલાહ લીધા વિના તમારે મેડિકલ હેતુ તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
તજમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ ભરપુર માત્રામાં રહેલા છે. પોટેશિયમ બ્લડ પ્રેશર પર સોડિયમની અસર ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે. પોટેશિયમ નર્વસ સિસ્ટમના કાર્યમાં પણ મદદરુપ થાય છે.
મેગ્નેશિયમ અને કેલ્શિયમ એકસાથે તમારા હાર્ટ બીટને ઠીક અને સુચારુ રીતે ચલાવવામાં મદદ કરે છે. આ બંને ખનિજો હાડકાના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે અને હાડકાના નબળા પડવાને રોકવામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
તજ બળતરા વિરોધી છે, તેથી તે શરીરમાં ક્રોનિક બળતરાને રોકવા અને મટાડવામાં મદદરૂપ થઈ શકે છે. જો કે, આ અંગે વધુ સંશોધનની જરૂર છે.
