બોઇસરના તારાપુરમાં ગેસ લીકેજથી ચાર કામદારોના….

Latest News અપરાધ આરોગ્ય કાયદો

બોઈસરના તારાપુર ઔદ્યોગિક વસાહતમાં મેડલી ફાર્માસ્યુટિકલ્સ (પ્લોટ નં. એફ-૧૩) માં ગેસ લીકેજથી ચાર કામદારોના મોત થયા છે. આ કંપનીના બે કામદારોની હાલત ગંભીર છે અને તેમને આઇસીયુ એકમમાં રાખવામાં આવ્યા છે.

બપોરે ૨.૩૦ થી ૩ વાગ્યાની વચ્ચે, આ કંપનીમાં આલ્બેન્ડાઝોલનું ઉત્પાદન ચાલી રહ્યું હતું ત્યારે નાઇટ્રોજન પ્રક્રિયા કરવામાં આવતી ટાંકીના વિસ્તારમાં નાઇટ્રોજન ગેસ લીકેજ થયો હતો. આ કામદારો જ્યાં કામ કરી રહ્યા હતા તે બધું જ પ્રભાવિત થયું હતું. તે જગ્યાએ ઓક્સિજનનું સ્તર ઓછું હોવાથી ચાર કામદારોના મોત થયા હતા અને અન્ય બેની હાલત ગંભીર છે.

આ કામદારોને બેભાન અવસ્થામાં બોઈસરની શિંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ચારેયના મોત થયા છે. હોસ્પીટલના સૂત્રોએ જણાવ્યુ છે કે કમલેશ યાદવ, કલ્પેશ રાઉત, ધીરજ પવાર અને બંગાળી ઠાકુરને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને બે કામદારો રોહન શિંદે અને નિલેશ અડલે સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *