અમદાવાદના દાણીલીમડામાં પણ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત થયાનો આક્ષેપ

થોળ ગામમા આવેલી રાધા કૃષ્ણ પાંજરાપોળમાં રાખવામા આવેલી ગાય પૈકી 27 ગાયના મોત થવાની ઘટના પછી અમદાવાદના દાણીલીમડા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાંના મોત થયા હોવાનો આક્ષેપ કરાયો છે. કોર્પોરેશનની બેદરકારીથી આ મોત થયા હોવા મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપવામાં આવી છે. જયારે કોર્પોરેશનના અધિકારીઓએ એવો દાવો કર્યો […]

Continue Reading

સેવન્થ ડે સ્કૂલમાં હુમલા બાદ પીડિત છોકરો પેટ પર હાથ મૂકી સ્કૂલમાં જતો CCTVમાં કેદ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટે ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાને 15 દિવસ થઈ ગયા છે. એવામાં હવે આ ઘટનાનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મૃતક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત સ્થિતિમાં શાળાના ઈજાગ્રસ્ત પેટના ભાગે હાથથી દબાવીને  એન્ટ્રી ગેટથી શાળામાં અંદર આવતો જોઈ શકાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, નયન થોડીવારમાં ત્યાં […]

Continue Reading

આઇફોન અને ગૂગલ પિક્સલ યુઝર્સ ચેતી જજો, ઈ-સિમથી થઈ રહ્યાં છે બેન્ક એકાઉન્ટ ખાલી…

ભારતના મોબાઇલ યુઝર્સ હવે એક નવા પ્રકારનો સામનો કરી રહ્યાં છે. તેમની ઈ-સિમ ટેક્નોલોજીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ધ ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા આ વિશે લોકોને ચેતવવામાં આવી રહ્યાં છે. આ ડિપાર્ટમેન્ટ હોમ અફેર્સની અંડર કામ કરે છે. I4C દ્વારા દેશના તમામ નાગરિકોને આ સ્કેમથી ચેતવીને રહેવા કહ્યું છે કારણ કે એવા […]

Continue Reading

પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ, 3 લાખ લોકોનું સ્થળાંતર, તબાહીના 5 કારણ

ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં સ્થિતિ ચિંતાજનક છે. જો પાકિસ્તાનમાં પૂરનું કારણ ભારત છે, તો આપણે વિચારવું જોઈએ કે ભારતના પંજાબમાં પૂર કેમ આવે છે? પંજાબની નદીઓ, સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગરમાં પૂર આવે છે, આ નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. જેના કારણે પંજાબમાં […]

Continue Reading

પાકિસ્તાનના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં પ્રચંડ વિસ્ફોટ, 14 લોકોના મોત, 35થી વધુ ઈજાગ્રસ્ત

પાકિસ્તાનમાં અવારનવાર બોમ્બ બ્લાસ્ટ અને હુમલાઓની ઘટનાઓ બનતી હોય છે. એવામાં હવે ક્વેટામાં બલૂચિસ્તાન નેશનલ પાર્ટી (BNP)ની રેલીને નિશાન બનાવીને પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 14 લોકોના મોતના અને 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે.   આ ઘટના શાહવાની સ્ટેડિયમ નજીક સરદાર અતાઉલ્લાહ મેંગલની ચોથી પુણ્યતિથિના દિવસે આયોજિત કાર્યક્રમના સમાપન બાદ […]

Continue Reading

રાજસ્થાનમાં પણ મેઘરાજાએ વિનાશ વેર્યો, ડેમ તૂટતાં ગામડા ડૂબ્યાં, અનેક દુર્ઘટના વચ્ચે ફરી એલર્ટ

રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમને કારણે આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી છે. 3 સપ્ટેમ્બરના રોજ ઝાલાવાડ, પ્રતાપગઢ અને બાંસવાડા માટે ઓરેન્જ એલર્ટ અને જ્યારે ચિત્તોડગઢ, બુંદી, કોટા, બારા, સવાઈ માધોપુર, કરૌલી, ધોલપુર, ભરતપુર, દૌસા અને અલવરમાં યલો એલર્ટ રહેશે. રાજસ્થાનમાં સતત વરસાદને કારણે જાલોર, સિરોહી, દૌસા, જોધપુર અને પ્રતાપગઢ […]

Continue Reading

સુરતના વિદ્યાર્થીની કમાલ, હૃદયનું સતત મોનિટરિંગ કરી ડૉક્ટરને બધો ડેટા પહોંચાડતી ચીપ બનાવી

કોરોના બાદ અચાનક હાર્ટ એટેકના કેસમાં વધારા વચ્ચે સુરતની એસવીએનઆઇટીમાં પીએચ.ડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગાઇડ અને અન્ય અઘ્યાપકની મદદથી દોઢ વર્ષની મહેનત બાદ એક એવી ચીપ તૈયાર કરી છે. જે હૃદયનું સતત મોનિટરીંગ કરે છે. અને બ્લુટુથ કે અન્ય ડિવાઇસથી તમામ ડેટા ડોકટર પાસે પહોંચાડી શકાય છે. દેશમાં કુલ 31 સેમીકન્ડકટર ચીપ તૈયાર થઇ છે […]

Continue Reading

આકોલામા હની ટ્રેપ દ્રારા છેતરપીંડી, જવેલર્સને ફસાવી દંપતીએ ૧૮ લાખ હડપ કર્યા

આકોલા જિલ્લાના મૂર્તિજાપુર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં ૫૨ વર્ષીય જવેલર્સને ખોટા બળાત્કારના કેસની ધમકી આપીને ૧૮ લાખ ૭૪ હજાર રૂપિયા લૂંટી લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં, એવું બહાર આવ્યું છે કે તેમની સાથે ‘હની ટ્રેપ’ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી અને પોલીસે પૈસા લેતી વખતે એક દંપતીની રંગેહાથ […]

Continue Reading

મુંબઈમાં ભારતનું સૌથી ઊંડું ભુગર્ભ રેલ્વે સ્ટેશન, ટ્રેન પકડવા માટે જમીનથી ૧૦૦ ફૂટ નીચે ઉતરવું પડશે

ભારતીય રેલ્વે દિવસેને દિવસે નવો ઇતિહાસ રચી રહી છે. તાજેતરમાં, ભારતીય રેલ્વે દ્વારા વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ બનાવવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં બુલેટ ટ્રેન પણ દોડશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ રૂટ પરનું એકમાત્ર ભૂગર્ભ સ્ટેશન, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્ટેશનનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ભારતનું સૌથી ઊંડું […]

Continue Reading

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી મોતનો આંકડો વધીને 1100ને પાર, સુદાનમાં ભૂસ્ખલને 1000નો જીવ લીધો

સમગ્ર વિશ્વમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દુનિયાના બે અલગ-અલગ ખૂણામાં પ્રકૃતિએ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે. એક બાજુ ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી બાજુ ભૂસ્ખલનના કારણે અ સંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે. અફઘાનિસ્તાનથી લઈને સુડાન સુધી કુદરતનો કહેર જોવા મળ્યો છે. જેમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપે એક હજારથી વધુ લોકોના જીવ લીધા છે. જ્યારે, […]

Continue Reading