સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના જ MLAએ સવાલ ઉઠાવ્યા

અમરેલી જિલ્લામાં વિવાદિત લેટરકાંડ બાદ ભાજપમાં જૂથવાદ વારંવાર સામે આવે છે ત્યારે હવે ધારી, બગસરા, ખાંભા મતક્ષેત્રના ભાજપનાં જ ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનમંત્રીને પત્ર લખીને તાજેતરમાં થયેલા સિંહો-સિંહબાળના મોત મામલે વન વિભાગની કાર્યરીતિ સામે સવાલો ઉઠાવીને આક્રોશ ઠાલવતા આશ્ચર્ય સર્જાયું છે. ‘વનતંત્રએ સમયસર તપાસણી કરી હોત તો સિંહોને બચાવી શકાત’, એવું કહીને તેમણે વન્યપ્રાણીનાં હુમલામાં […]

Continue Reading

ખેડૂતો કહે છે, ખાતર મળતું નથી : કૃષિ વિભાગ કહે છે, ખાતરનો પૂરતો સ્ટોક છે : સાચું કોણ?

ચોમાસાની સિઝનમાં ખાતરની ખેંચ વર્તાઇ રહી છે  પરિણામે ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. ઠેર ઠેર ખાતર માટે લાઇનો લાગી છે. ખાતર ન મળતાં હવે કિસાન સંઘ મેદાને પડ્યું છે. કિસાન સંઘે ચિમકી ઉચ્ચારી છેકે, ખાતરનું બેફામપણ કાળાબજાર થઇ રહ્યાં છે.  જો ખાતરની સમસ્યાનો ઉકેલ નહી આવે તો આગામી દિવસોમાં આંદોલન કરાશે.  છેલ્લાં કેટલાંય દિવસોથી ખાતર માટે […]

Continue Reading

જાન્યુઆરી 2020થી જુલાઈ 2025ના સાડા પાંચ વર્ષોમાં 7,244 ગેરકાયદે વસાહતી ભારતીયોને અમેરિકામાંથી હાંકી કઢાયા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં ૨૦ જાન્યુઆરીએ સત્તા પર આવ્યા પછી ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટી શરૂ કરી હતી. ભારત વિરોધી વલણ અપનાવતા ટ્રમ્પે એટલા ગેરકાયદે ભારતીય વસાહતીઓની અપમાનીત કરીને અમેરિકામાંથી હકાલપટ્ટી કરી છે જેટલી પૂર્વ પ્રમુખ જો બાઈડેને ચાર વર્ષમાં નહોતી કરી. એક અહેવાલ મુજબ ટ્રમ્પે ૧૭૦૦થી વધુ ભારતીયોને અમેરિકામાંથી કાઢી મૂક્યા છે. અમેરિકન પ્રમુખ […]

Continue Reading

કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ ઝડપાયો…

ધ્રાંગધ્રા કલ્પના ચોકડી પાસેથી એલસીબી પોલીસે કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ-બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસના દરોડા દરમિયાન ચાલક કાર મુકીને નાસી છટતા પોલીસે દારૃ, કાર સહિતનો ૯.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતાં અમદાવાદ-કચ્છ હાઈવે પર આવેલી કલ્પના ચોકડી પાસેથી દારૃ ભરેલ કાર પસાર […]

Continue Reading

ટ્રમ્પ સમર્થક 10 અબજપતિઓ પસ્તાયા, એક જ દિવસમાં 50 અબજ ડોલરનો જોરદાર ફટકો

ટ્રમ્પે તેના વિરોધીઓ, અન્ય દેશો, અમેરિકન ઇકોનોમીને તો ફટકો માર્યો જ છે, પરંતુ તેણે તેના અબજપતિ મિત્રોને પણ બક્ષ્યા નથી. ટ્રમ્પના સમર્થક એવા અબજપતિઆને હવે તેને સમર્થન આપવા બદલ પેટ ભરીને પસ્તાવવાનો વખત આવ્યો છે. તેમા પણ ટ્રમ્પના સમર્થનમાં સૌથી વધુ કૂદી-કૂદીને બોલેલા ટેસ્લાના માલિક મસ્કની સંપત્તિમાં ચાલુ વર્ષે 80 અબજ ડોલરનું જંગી ધોવાણ થયું […]

Continue Reading

તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, બે-બે વોટર આઈડી કાર્ડ અંગે ચૂંટણીપંચે શરૂ કરી તપાસ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે. તેજસ્વી પર બે અલગ અલગ મતદાર ઓળખ કાર્ડ હોવાનો આરોપ છે. ચૂંટણી પંચે આ મામલાની તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેજસ્વીએ દાવો કર્યો કે તેમનું નામ સ્પેશિયલ […]

Continue Reading

શેરબજારમાં રોકાણના બહાને રૂ. 47.60 કરોડની ચીટીંગ…

શેર બ્રોકરની ખોટી ઓળખ આપી શેરમાં નિશ્ચિત ઊંચું રિટર્ન મળશે તેવી ખાતરી આપી રોકાણ કરાવી રૂ. ૪૭.૬૦ કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમાં સંડોવાયેલ આરોપીના અદાલતે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક કરી મુંબઈની  બ્રાન્ચમાંથી શેર બ્રોકર હોવાની ખોટી ઓળખ આપી રોકાણ કરાવી નફા સાથેની રકમ કંપનીની વેબસાઈટ પર જમા દર્શાવી રૂ.580 કરોડ વિડ્રો […]

Continue Reading

‘રસ્તે ખાડા પડે તો જાતે પૂરી દો, સરકારને ફોન ના કરો…’ શિક્ષણમંત્રી ડિંડોરે લોકોના ઘા પર મીઠું ભભરાવ્યું!

ચોમાસામાં વરસાદે જ ભાજપ સરકારની પોલ ઉઘાડી પાડી છે. કારણ કે એક જ વરસાદના પાણીમાં મોટાભાગના રસ્તા ધોવાયા છે અને ઠેર ઠેર ખાડા પડ્યાં છે પરિણામે લોકોમાં સરકાર સામે આક્રોશ ભભૂક્યો છે. આ પરિસ્થિતી વચ્ચે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે લોકોના ઘા પર જાણે મીઠું ભભરાવ્યું છે. ગોધરામાં એક સમારોહમાં તેમણે સરકારની નિષ્ફળતા ઢાંકવા એવુ કહ્યુ કે, […]

Continue Reading

મીઠી નદી કાંપ કોન્ટ્રાકટ કેસ; ઈડીએ ૪૭ કરોડ રૂપિયાની સંપત્તિ સ્થગિત કરી

મુંબઈમા મીઠી નદી કાંપ નિકાલ કોન્ટ્રાકટમાં ૬૫ કરોડ રૂપિયાના કથિત છેતરપિંડીના સંદર્ભમાં ઈડીએ મુંબઈમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઈડીએ શનિવારે માહિતી આપી હતી કે આ કાર્યવાહીમાં 47 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સ્થગિત કરવામાં આવી છે. આમાં બેંક ખાતા, ફિક્સ ડિપોઝિટ, ડીમેટ એકાઉન્ટનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયુક્ત કરાયેલા કોન્ટ્રાક્ટરો મેસર્સ એક્યુટ ડિઝાઇન્સ, […]

Continue Reading

ટિકિટ તપાસને લઈને સ્થાનિક વિવાદ, મુસાફરોએ સ્ટાફ પર હુમલો કર્યો, ઓફિસમાં તોડફોડ !

મુંબઈની વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વિના મુસાફરી કરી રહેલા એક મુસાફરને વધુ કાર્યવાહી માટે રેલવે ઓફિસમાં લઈ જવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેણે સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટનામાં એક મુસાફર અને બે રેલ્વે કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ કેસમાં અને ફોજદારી કાયદા હેઠળ રેલ્વે મુસાફર સામે કેસ નોંધવામાં આવશે. સરકારી મિલકતને નુકસાન […]

Continue Reading