માઉન્ટ આબુમાં 3 દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આ 5 આદેશોનું કરવું પડશે પાલન

 ભારે વરસાદને કારણે માઉન્ટ આબુના સાત ગુમ નજીક રોડનો એક ભાગ ધરાશાયી થતાં તંત્રએ તાત્કાલિક અસરથી 3 દિવસ માટે પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લીધો છે. માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે માર્ગનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે બંધ […]

Continue Reading

થાણે મુમ્બ્રામાં લકી કમ્પાઉન્ડ બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડતાં એક દુ:ખદ ઘટના બની.

આ ઘટનામાં બે મહિલાઓ ઘાયલ થઈ હતી, જેમાંથી એક 62 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ શ્રીમતી નાહિદ ઝૈનુદ્દીન જમાલી તરીકે થઈ છે, જ્યારે ઘાયલ 26 વર્ષીય મહિલા શ્રીમતી ઇલ્મા ઝેહરા જમાલીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઇમારતની જર્જરિત હાલતમાં લકી કમ્પાઉન્ડ બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડ્યો હતો, જે […]

Continue Reading

કોંગ્રેસે વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા પદનો દાવો કર્યો…

કોંગ્રેસે સ્પીકર પ્રો. રામ શિંદે પાસેથી વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતાના ખાલી પદનો દાવો કર્યો. અંબાદાસ દાનવેનો કાર્યકાળ પૂરો થતાં, કોંગ્રેસે વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા પદનો દાવો કર્યો. કોંગ્રેસે કોંગ્રેસના જૂથ નેતા સતેજ પાટિલને વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવાની માંગ કરી. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વિજય વાડેટ્ટીવાર અને ભૂતપૂર્વ મંત્રી બાલાસાહેબ થોરાટે પ્રો. શિંદેને […]

Continue Reading

મુંબઈ એરપોર્ટ પર ૧૪ કરોડના ગાંજા સહિત બે પ્રવાસીની ધરપકડ…

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ બે દિવસમાં આશરે ૧૪ કરોડનીકિમતની આસપાસ હાઇડ્રો ગાંજો જપ્ત જપ્ત કર્યો હતો. કસ્ટમ્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે બે અલગ અલગ કેસમાં ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો અને આ પ્રકરણે બે પ્રવાસીની ધરપકડ કરાઇ હતી. બેંગકોકથી આવેલા બંને પ્રવાસી પોતાની ટ્રોલી બેગમાં ગાંજો છુપાવીને મુંબઈ લાવ્યા હતા. રવિવારે બેંગકોક […]

Continue Reading

ન્યાયાધીશના સરકારી મકાનની છત ધરાશાયી; જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ સામે કેસ નોંધાયો

થાણેના કોપરી વિસ્તારમાં બારા બંગલો સરકારી વસાહતમાં ન્યાયાધીશો માટે બનાવેલા ફ્લેટની છતનો એક ભાગ ધરાશાયી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાહેર બાંધકામ વિભાગને વારંવાર ફરિયાદ કરવા છતાં વિભાગે કોઈ સમારકામ ન કર્યું હોવાથી, ન્યાયાધીશના પતિએ કોપરી પોલીસ સ્ટેશનમાં જાહેર બાંધકામ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. તે મુજબ, હવે આ કેસમાં કેસ નોંધવામાં આવ્યો […]

Continue Reading

ટાયર ફાટતા કાર પાણી ભરેલા ખાડાંમાં ખાબકી : બે વ્યક્તિના મોત, બેને ઈજા

બગોદરા બાવળા હાઈવે પર રામનગર ગામના પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારનું ટાયર ફાટતા કાર પલટી મારીને પાણી ભરેલા ખાડામાં ખાબકતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. અમદાવાદના ઓગણજ વિસ્તારના ચાર લોકો કારમાં ચોટીલા મંદિરે પૂનમ ભરવા ગયા હતા. પરત ફરતી વખતે બાવળા નજીક તેમની […]

Continue Reading

કપાસ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતોની હાલત કફોડી

સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે જેમાં દસાડા તાલુકામાં સૌથી વધુ ૩૦ કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટાપાયે નુકશાની ભોગવવાનો વારો આવતા ખેડુતોની હાલત કફોડી બની છે. આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ભારેથી […]

Continue Reading

છેલ્લા 4 માસમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા શિપની કિંમતમાં વધારો

 અમેરીકાએ ભારત પર લાદેલા ટેરિફની પરોક્ષ અસર અલંગ શિપ  રિસાક્લિંગ ઉદ્યોગને થશે. છેલ્લા ૪ મહિનામાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને તેના કારણે શિપબ્રેકરોને આંતરરાષ્ટ્રીય બજારમાં શિપની કિંમત પણ વધારે ચૂકવવી પડી રહી છે. તેની વચ્ચે ટેરિફના નિર્ણયથી રૂપિયો હજુ નબળો પડવાની શક્યતા રહેલી છે અને તેના કારણે શિપ બ્રેકરોને શિપ મોંઘી […]

Continue Reading

બનાસકાંઠાના સુઇગામમાં 16 ઈંચ તો કચ્છના રાપરમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, આજે શાળા-કોલેજો બંધ

ગુજરાતમાં હાલમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવિતર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સહિત બનાસકાંઠામાં પણ ગઈકાલે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો રાતના 12 વાગ્યા સુધીમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે બનાસકાંઠાના સુઈગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં અવિરત […]

Continue Reading

AAP ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા જેલમાંથી બહાર આવ્યા, વિધાનસભા સત્રમાં હાજરી આપશે

દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ચૈતર વસાવા જેલમાં બંધ હતા. કોર્ટે ચૈતર વસાવાને વિધાનસભામાં હાજર રહેવા માટે 3 દિવસના શરતી જામીન મંજૂર […]

Continue Reading