ભારતમાં પાન ખાવાનું ચલણ સદીઓથી ચાલ્યું આવે છે. લોકો પૂજા-પાઠથી લઈને ખાવા- પીવામાં તેનો ઉપયોગ કરે છે. નાગરવેલના પાનના માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. નાગરવેલના પાનનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ઘણો લાભ મળે છે. તેમાં વિટામિન A,વિટામિન C, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ રહેલા છે જે શરીરને ઘણી બીમારીઓમાંથી બચાવે છે.
આયુર્વેદમાં તો નાગરવેલના પાનને ઔષધીય ગુણોથી ભરપુર બતાવવામાં આવ્યું છે. પેટની સમસ્યાઓ માટે નાગરવેલના પાનનો કોઈ તોડ નથી. ખાધા પછી પેટમાં ગેસ, અપચો અને શ્વાસમાં દુર્ગધ જેવી સમસ્યાઓ માટે રોજ એક પાન ખાવાથી આ સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે.
નાગરવેલના પાન પેટની સમસ્યા દૂર કરવા માટે ખૂબ જ મદદરુપ થાય છે. આ ખાવાથી પેટમાં ગેસ,કબજિયાત અને એસિડિટીમાંથી છૂટકારો મળે છે. નાગરવેલના પાન રહેલા તત્વો પાચન ક્રિયાને એક્ટિવ કરે છે, જેથી ખોરાક જલ્દીથી પચી જાય છે.
પાચનક્રિયા સુધારવાની સાથે સાથે નાગરવેલના પાનનું સેવન બ્લડ શુગર લેવલને પણ કન્ટ્રોલ કરવામાં મદદરુપ થાય છે. આ ઇન્સ્યુલિનને નિયંત્રિત કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
નાગરવેલના પાન શ્વાસની દુર્ગંધ અને બેક્ટેરિયા ઘટાડે છે, તેથી ખાધા પછી દરરોજ એક નાગરવેલ ચાવવું જોઈએ. નાગરવેલના પાનમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો પેઢાની સમસ્યાઓ અને પોલાણને રોકવામાં પણ અસરકારક સાબિત થાય છે.
નાગરવેલના પાન પાચનની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક છે, તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. નાગરવેલના પાન રોજ ખાવાથી શરદી અને મોસમી ચેપનું જોખમ ઓછું થાય છે.
નાગરવેલના પાનમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જેના કારણે તે સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં પણ ફાયદાકારક છે. જે લોકો બળતરા ઘટાડવા માંગે છે તેઓએ નાગરવેલના પાન ચોક્કસ ખાવા જોઈએ
નાગરવેલના પાન મેટાબોલિઝ્મને ઝડપી બનાવે છે, જેનાથી ચરબી ઝડપથી બર્ન થાય છે. તેથી, જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓએ ભોજન પછી ચોક્કસપણે નાગરવેલના પાન ખાવા જોઈએ.
નાગરવેલના પાનનો રસ તમારા ચહેરા અને વાળ પર લગાવી શકો છો, કારણ કે તે ત્વચાને સાફ કરવામાં અને વાળને મજબૂત બનાવવામાં પણ મદદરુપ થાય છે.

