અદાણી ઈલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશનની સ્વતેજા માર્ટ પહેલ મહિલા ઉદ્યોજકોને સશક્ત બનાવે છેઃ મહા મેળા વીક દરમિયાન નોંધપાત્ર સફળતા હાંસલ કરી

અદાણી ફાઉન્ડેશન સાથે સહયોગમાં અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા 21મી સપ્ટેમ્બરથી 28મી સપ્ટેમ્બર 2025 સુધી યોજાયેલા તેના સ્વતેજા માર્ટ આઉટરીચ મોડેલ મહા મેળાની અદભુત સફળતાની ઘોષણા કરી હતી. પ્રોજેક્ટ સ્વાભિમાન પ્રોગ્રામનો હિસ્સો આ પહેલ અદાણી ઈલેક્ટ્રિસિટી, અદાણી ફાઉન્ડેશન, માવિન (મહિલા આર્થિક વિકાસ મહામંડળ) અને મહાપાલિકાનો સંયુક્ત પ્રયાસ છે, જેનું લક્ષ્ય મહિલા ઉદ્યોજકોને સશક્ત બનાવવાનું છે. મહા મેળાએ વિવિધ અદાણી ઈલેક્ટ્રિસિટીનાં કાર્યાલયો અને સરકારી આસ્થાપનાઓમાં તેમની હસ્તકળાકારીગરી અને ઘરે બનાવેલી પ્રોડક્ટોનું પ્રદર્શન અને વેચાણ એન્ટરપ્રેન્યોરિયલ સેલ્ફ- હેલ્પ ગ્રુપ્સ (ઈએસએચજી)ની મહિલાઓ માટે સફળતાથી મંચ પૂરું પાડ્યું. એક સપ્તાહ ચાલેલી ઈવેન્ટનાં પરિણામો આકર્ષક રહ્યાં, જેમાં અદાણી ઈલેક્ટ્રિસિટી કાર્યાલયો, મંત્રાલય, વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને ટી2(મુંબઈ એરપોર્ટ) સહિત ઘણાં બધાં સ્થળે કુલ રૂ.2.70 લાખનું વેચાણ ઊપજાવ્યું હતું. આ સફળતાથી સહભાગી મહિલાઓની નાણાકીય આજીવિકા વધવા સાથે તેમનો આત્મવિશ્વાસ મજબૂત બન્યો અને આત્મનિર્ભર બનવાનો માર્ગ કંડારવા માટે પ્રોત્સાહન મળ્યું. સ્વતેજા માર્ટ સક્ષમ સમુદાય વિકાસ પ્રત્યે અમારી કટિબદ્ધતાનો દાખલો છે, એમ અદાણીના પ્રવક્તાએ જણાવ્યું હતું. અમારા સ્વાભિમાન પ્રોજેક્ટ થકી અમે બજાર પૂરી પાડવા સાથે એવી ઈકોસિસ્ટમ નિર્માણ કરી રહ્યા છીએ, જે વંચિત સમુદાયની મહિલાઓમાં ઉદ્યોજકતા, નાણાકીય સાક્ષરતા અને આત્મનિર્ભરતા કેળવી શકે. અમે માનીએ છીએ કે આ પહેલથી નોંધપાત્ર રીતે તેમની આજીવિકા વધી છે અને તેમની સુખાકારીમાં યોગદાન મળ્યું છે. સશક્તિકરણ – આર્થિક વૃદ્ધિ માટે મંચ સ્વતેજા માર્ટ પહેલે એન્ટરપ્રેન્યોર સેલ્ફ- હેલ્ફ ગ્રુપ્સ (ઈએસએચજી)નો હિસ્સો 4500થી વધુ મહિલા ઉદ્યોજકો માટે મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું હતું. માર્ટમાં 20 સ્ટોલ હતા, જ્યાં પારંપરિક હસ્તકળા કારીગરીની વસ્તુઓથી લઈને ઓર્ગેનિક અને ઘરે બનાવેલી ચીજો સહિત વિવિધ શ્રેણીની ચીજોનો સમાવેશ થતો હતો. પ્રોજેક્ટમાં ક્લાઉડ કિચન સુવિધાનો સમાવેશ થતો હતો, જેણે ઊભરતા ખાદ્ય ઉદ્યોજકો માટે પ્રોફેશનલ ક્યુલિનરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું હતું. ઉચ્ચ ધોરણોની ખાતરી રાખવા માટે 60 ઈએસએચજી સભ્યોને ઈન્ડિયન હોટેલ મેનેજમેન્ટ (આઈએચએમ) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) તરફથી ખાદ્યની તૈયારી, હાઈજીન અને સુરક્ષામાં વ્યાપક તાલીમ અપાઈ હતી. 2022માં તેના લોન્ચથી અદાણી ઈલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશનની ફ્લેગશિપ મહિલા સશક્તિકરણ અને આજીવિકા નિર્મિતી પહેલ પ્રોજેક્ટ સ્વાભિમાને મોટી છલાંગ લગાવી છે. પ્રોગ્રામ મલાડ- માલવણી, મીરા રોડ અને ભાયંદરમાં વંચિત સમુદાયની મહિલાઓને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ઈડીપી) પૂરો પાડે છે, જે તાલીમ, નાણાકીય સાક્ષરતા, વેપાર યોજનાનો વિકાસ અને કુશળતા વધારવાની તક પ્રદાન કરે છે. પ્રોજેક્ટે 171 મહિલાઓના સ્વસહાય સમુહો માટે રૂ. 4,81,84,000ની રકમ સાંકળતી ધિરાણ સુવિધાનો માર્ગ મોકળો બન્યો હતો, જેનાથી 1224 ઈએસએચજી સભ્યોને લાભ થયો હતો. આને કારણે હવે 500+ મહિલાઓ પોતાન વેપાર ધરાવે છે સહભાગીઓની સરેરાશ આવક 29 ટકાથી વધી છે.

Continue Reading

મહારાષ્ટ્રના રાજકારણમાં નવેમ્બરમાં ‘ઉથલપાથલ’ થશે: સંજય રાઉત

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના સાંસદ સંજય રાઉતે આજે મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો હતો કે નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થશે. તેમણે એવો ગંભીર આરોપ પણ લગાવ્યો કે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે બારામતીમાં ચૂંટણી જીતવા માટે ‘કૌભાંડ’ કર્યા છે. આ સમયે, સાંસદ રાઉતે કહ્યું, “નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ થશે. શિવસેના પક્ષના […]

Continue Reading

મુંબઈ એરપોર્ટ પરથી દુર્લભ જંગલી પ્રાણીઓ જપ્ત; કસ્ટમ્સ વિભાગની કાર્યવાહી

છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે કસ્ટમ્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં, બેંગકોકથી આવેલા એક ભારતીય મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સાથે ૬૧ દુર્લભ જંગલી પ્રાણીઓ મળી આવ્યા હતા અને તેમને બચાવી લેવામાં આવ્યા છે. આ બધા પ્રાણીઓને તેમના મૂળ દેશમાં મોકલવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ આરોપીની […]

Continue Reading

જમીનમાં છુપાયેલી સંપત્તિનો મોહ નડ્યો., નકલી બાબાએ દોઢ કરોડ જેટલી ઉચાપત કરી

દુનિયા આટલી આગળ વધી રહી છે, પરંતુ કેટલીક જગ્યાએ અંધશ્રદ્ધા જેવી બાબતો ઓછી થતી નથી લાગતી. ઘણા લોકો પૈસાની લાલચને કારણે આ અંધશ્રદ્ધાના જાળમાં ફસાઈ જાય છે. અને તેઓ પોતાને છેતરવાનું શરૂ કરે છે. આવી જ એક ઘટના સોલાપુરમાં બની છે. એક ગૃહસ્થને છુપાયેલી સંપત્તિ કાઢવાનું કહીને કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે. સોલાપુરમાં, એક છેતરપિંડી […]

Continue Reading

છોટા રાજનના સહયોગી કુખ્યાત ગેંગસ્ટર ડીકે રાવની રોકાણકારને ધમકી આપવાના આરોપમાં ધરપકડ.

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કુખ્યાત ગેંગસ્ટર ડીકે રાવની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ડીકે રાવ અને અન્ય ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક રોકાણકારને ખંડણી માટે ધમકી આપવાનો આરોપ હતો. ડીકે રાવ અને અન્ય આરોપીઓને આજે (શનિવાર, ૧૧મી) કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના લાંબા સમયથી સહયોગી રહેલા કુખ્યાત ગેંગસ્ટર […]

Continue Reading

નાસિક જિલ્લામાં ફરી દીપડાનો હુમલો, બે ખેડૂતો ઘાયલ

નાસિક જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડાની હિલચાલ અને હુમલામાં વધારો થતાં, વન વિભાગ તેમને નિયંત્રિત કરવા માટે ચિંતિત છે. દીપડાના હુમલાને કારણે વન કર્મચારીઓ અને અધિકારીઓ નાગરિકોના રોષનો સામનો કરી રહ્યા છે. એક વર્ષમાં નાસિક જિલ્લામાં અત્યાર સુધીમાં આઠથી વધુ દીપડા માર્યા ગયા છે. દીપડા વધુ સક્રિય જોવા મળ્યા છે, અને હુમલા મુખ્યત્વે ત્રણ તાલુકા – […]

Continue Reading

અમદાવાદ જિલ્લામાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો ૧૦મો સ્ટીલ બ્રિજ સ્થાપિત

દેશની પ્રથમ બુલેટ ટ્રેન પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. ગુજરાતના અમદાવાદમાં ૧૦મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો છે. NHSRCL અનુસાર, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટેનો ૧૦મો સ્ટીલ બ્રિજ અમદાવાદ જિલ્લામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ૬૦ […]

Continue Reading

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે સુવિધાઓમાં વધારો

ભારતીય રેલ્વેએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે અત્યાધુનિક સુવિધાઓની વિશાળ શ્રેણી પૂરી પાડીને સમાવિષ્ટ અને સુલભ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. આ સુવિધાઓનો ઉદ્દેશ્ય તમામ મુસાફરો માટે સલામત, ગૌરવપૂર્ણ અને આરામદાયક મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરવાનો છે, જે ભારતીય રેલ્વેની સાર્વત્રિક સુલભતા અને મુસાફરોની સુવિધા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને પુષ્ટિ […]

Continue Reading

દિવાળી પર ખેડૂતોને વડા પ્રધાન તરફથી મોટી સૌગાત, શરૂ થઈ ₹35,440 કરોડની 3 મેગા યોજનાઓ

અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૅટ)ના રાષ્ટ્રીય પ્રધાન શંકર ઠક્કરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા (IARI) ખાતે દેશને કઠોળ માં આત્મનિર્ભર બનાવવા માટે ₹35,440 કરોડની બે મહત્વપૂર્ણ કૃષિ યોજનાઓનો પ્રારંભ કર્યો છે. તેમાં ‘પીએમ ધન ધાન્ય કૃષિ યોજના’ અને ‘આત્મનિર્ભરતા […]

Continue Reading

શિવસેના નેતા સાવધાન! ‘કબૂતર ઘર’ના મુદ્દા પર જૈન મુનિ આક્રમક જૈન મુનિઓએ રાજકીય પક્ષ જાહેર કર્યો

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે શિવસેનાનો શિંદે જૂથ કબૂતરખાના, જૈન ધર્મ અને મરાઠી-ગુજરાતી ભાષાકીય સંઘર્ષ પેદા કરી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આવા વિવાદ ફેલાવનારા નેતાઓને બંધ કરવા જોઈએ, જૈન મુનિએ શનિવારે ધર્મ સભામાં આક્રમક વલણ અપનાવ્યું. વિધાનસભા ચૂંટણી દરમિયાન તમામ ક્ષેત્રો અને ધર્મોના સંતો ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો, ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી […]

Continue Reading