આશરે ૨૫ વર્ષ પછી મુંબઇ ગુજરાતી પત્રકાર સંઘનું દિવાળી નિમિત્તે સ્નેહ સંમેલન પ્રેસ્કલબમાં યોજાયું હતું. આ સમારંભમાં જુના અને નવા પત્રકારોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. મુંબઈના ગુજરાતી દૈનિકના નિવાસીતંત્રીઓએ પણ હાજરી આપી હતી. તો જુના તંત્રીઓએ તેમના અનુભવોનું નિચોડ કરી માર્ગદર્શન કર્યું હતું. જાણીતા ઉદ્યોગપતી અને અનેક સંસ્થાઓના વડા રહી ચૂકેલા કિશોર ખારાવાળાએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે સંઘના અધ્યક્ષ કુનેશ દવેએ ટૂંક સમયમાં સંઘનું એક માસિક શરૂ કરવાની જાહેરાત કરી હતી.

