રાજકોટ રેલવે ડિવિઝનના કંટ્રોલ ઑફિસમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ શિબિરનું આયોજન

Latest News આરોગ્ય કાયદો દેશ

“સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાન અંતર્ગત રાજકોટ રેલવે ડિવિઝનમાં આજે, 20 સપ્ટેમ્બર 2025ના રોજ, સવારે 10:00 થી 13:30 વાગ્યા સુધી કંટ્રોલ ઑફિસ, રાજકોટના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમમાં ખાસ કરીને કંટ્રોલ ઑફિસના કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય અને ફિટનેસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન ડિવિઝનના મેડિકલ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ કર્યું. આ પ્રસંગે મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. રાજકુમાર, વરિષ્ઠ ડિવિઝનલ ઑપરેશન મેનેજર શ્રી સુનીલ કુમાર ગુપ્તા, ડિવિઝનલ ઑપરેશન મેનેજર સુશ્રી સૃષ્ટિ, સહાયક ઑપરેશન મેનેજર શ્રી એન.વી. શર્મા અને શ્રી મનોજ ગુપ્તા પણ હાજર રહ્યા.

આ પ્રસંગે સમર્પિત ડૉક્ટરની ટીમ અને સહયોગી મેડિકલ સ્ટાફ દ્વારા કુલ 44 કર્મચારીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી. ડૉ. રાજકુમાર (સીએમએસ)એ “તનાવનું સંચાલન” વિષય પર એક પ્રેરક અને માહિતીસભર રજૂઆત કરી. તેમણે તણાવનાં કારણો, લક્ષણો, નિવારણના ઉપાયો અને તણાવમુક્ત જીવન જીવવા માટે જરૂરી આદતો વિશે વિગતવાર જાણકારી આપી. તેમની રજૂઆત વ્યવહારુ ઉદાહરણોથી સમૃદ્ધ અને સંવાદાત્મક રહી.

કંટ્રોલ ઑફિસના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ શિબિર અને સંવાદાત્મક સત્રને ખૂબ જ ઉપયોગી ગણાવ્યું. કુલ 44 કર્મચારીઓએ આ સ્વાસ્થ્ય અને ફિટનેસ શિબિરનો લાભ લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *