ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં ઘણી બિલ્ડીંગો આવેલ છે અને બિલ્ડીંગમાં આગ અકસ્માતનો બનાવ બને તો ફાયર સીસ્ટમના ઉપયોગથી આગને કાબુમાં લઈ શકાય અને લોકોના જીવ બચી શકે તે માટે દરેક બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવવુ ફરજીયાત હોય છે. ઘણા બિલ્ડીંગ ધારકો ફાયર એનઓસી લેતા નથી તેથી મહાપાલિકા નોટિસ આપે છે અને ત્યારબાદ પણ પગલા લેવામાં ન આવે તો બિલ્ડીંગને સીલ મારવાની કાર્યવાહી કરાય છે, જયારે રહેણાંકી બિલ્ડીંગ હોય તો નળ-ગટર કાપવામાં આવતા હોય છે તેમ માહિતી આપતા ચીફ ફાયર ઓફીસરે જણાવેલ છે.
ભાવનગર શહેરમાં ફાયર એનઓસીના મામલે મહાપાલિકાના ફાયર વિભાગે સર્વે શરૂ કર્યો છે, જેમાં જે બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી ન મેળવ્યુ હોય અથવા ફાયર એનઓસી રીન્યુ ન કરાવ્યુ હોય તેને નોટિસ આપવામાં આવે છે. આ સર્વે આશરે અઢી માસ સુધી ચાલશે. નોટિસ આપ્યા બાદ ફાયર એનઓસી લેવામાં નહિં આવે તો કડક પગલા લેવામાં આવશે તેમ ચીફ ફાયર ઓફીસર પી.આર.જાડેજાએ વિગત આપતા જણાવ્યુ હતું.

