ભાયંદરમા મિલકતના વિવાદમાં એક સોનાના વેપારીની તેની પત્ની અને બે બાળકો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છ
ભાયંદરના સોનલ પાર્ક વિસ્તારમાં રહેતા સુશાંત પોલ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવત્તો હતો. મધ્યરાત્રિએ ફેક્ટરીમાં માથામાં ગંભીર માર મારવાથી તેમનું મોત થયું હતું. ઘટના બાદ આરોપી ભાગી ગયો હતો. સ્થાનિક લોકોની ફરિયાદે પોલીસે મૃતદેહને કબજે લીધો હતો અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલના પરિવારના સભ્યો ગુમ હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી.
આ દરમિયાન, પોલીસને માહિતી મળી હતી કે પોલની પત્ની તેના બે બાળકો સાથે દિવા વિસ્તારમાં છુપાયેલી છે. તે મુજબ, છટકું ગોઠવીને ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે તેઓએ મિલકતના વિવાદમાં હત્યાની કબૂલાત કરી હતી. નાનો પુત્ર સગીર છે, જ્યારે પત્ની અને મોટા પુત્રની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે, પોલીસે માહિતી આપી છે.

